અમરસિંહ દુબઈના હોસ્પિટલમાં દાખલ

મંગળવાર, 19 ફેબ્રુઆરી 2013 (12:16 IST)
P.R
એક સમયે સમાજવાદી પાર્ટીમા મોટા નેતા રહી ચુકેલા અમરસિંહ સોમવારે અચાનક એયરપોર્ટ પર બેહોશ થઈને પડી ગયા, જેને કારને તેમને અહી વેલકેયર હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. હોસ્પિટલના સૂત્રો મુજબ અમરસિંહ ગંભીર છે. પણ હાલત સ્થિર છે.

અમરસિંહને દુબઈથી સિંગાપુર જવુ હતુ. તે વિમાનતલ પર બેચેની અનુભવી રહ્યા હતા અચાનક બેહોશ થઈ ગયા. તેમને તાત્કાલિક વેલકેયર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યા ડોક્ટર તેમની સારવારમાં લાગ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમરસિંહની હાલત ચિંતાજનક બનેલ છે. તેઓ એક બેઠકમાં ભાગ લેવા માટે દુબઈ આવ્યા હતા અને નિયમિત મેડિકલ તપાસ માટે સિંગાપુર રવાના થવાના હતા .

રાષ્ટ્રીય લોકમંચના અધ્યક્ષનુ થોડા વર્ષ પહેલા સિંગાપુરના માઉંટ એલિજાબેથ હોસ્પિટલ એંડ મેડિકલ સેંટરમાં કિડની પ્રત્યારોપણ થયુ હતુ. જો કે ત્યારબાદ તેમને કિડનીની કોઈ ફરિયાદ નહોતી, પણ તેઓ ચેકઅપ માટે સિંગાપુર જતા હતા.

વેબદુનિયા પર વાંચો