ભારત ઈરાન પર પ્રતિબંધની વિરુદ્ધ

ભાષા

સોમવાર, 12 એપ્રિલ 2010 (12:39 IST)
ND
N.D
ઈરાન પર નવા અંકૂશ લગાડવાના અમેરિકાના પ્રયત્નો વચ્ચે વડાપ્રધાન મનમોહનસિંહે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા સમક્ષ એ સ્પષ્ટ કરી દીધું છે કે, ભારત ઈસ્લામી ગણરાજ્ય વિરુદ્ધ એવા કોઈ પણ પ્રતિબંધની વિરુદ્ધ છે જેનાથી એ દેશની સામાન્ય જનતા પ્રભાવિત થતી હોય.

સિંહે ઓબામા સાથે થયેલી મુલાકાતમાં ઈરાનનો મુદ્દો ઉઠાવ્યો. બન્ને નેતાઓએ આ મુદ્દા પર સંપર્કમાં બનેલા રહેવા પર સહમતિ વ્યક્ત કરી.

વિદેશ સચિવ નિરુપમા રાવે બન્ને નેતાઓ વચ્ચે ચાલેલી 50 મિનિટની બેઠકના વિવરણથી પત્રકારોને વાકેફ કરાવતા કહ્યું કે, અમેરિકી રાષ્ટ્રપતિએ સિંહને ઈરાન વિરુદ્ધ પ્રતિબંધ લગાડવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ મંજૂર કરવાને લઈને ચાલી રહેલી ચર્ચાનુ વર્ણન આપ્યું.

આ મુદ્દા પર સિંહે ઓબામાને કહ્યું કે, આ પ્રતિબંધોના નિશાન પર સામાન્ય જનતા રહે છે તો પ્રતિબંધ હમેશા પ્રતિકૂળ રહે છે. નિરુપમાએ કહ્યું કે, બન્ને નેતા આ મુદ્દા પર સંપર્કમાં બનેલા રહેવા અને ચર્ચા જારી રાખવા પર સહમત થયાં.

વેબદુનિયા પર વાંચો