પશ્ચિમોત્તર પાકિસ્તાનમાં ગુરૂવારે કરવામાં આવેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 61 આતંકવાદી મૃત્યુ પામ્યાં છે. ગુરૂવારે મામુજાઈ વિસ્તારમાં સુરક્ષા ટુકડી દ્વારા આતંકવાદીઓના ઠેકાણા પર હવાઈ હુમલામાં 61 આતંકવાદી મૃત્યુ પામ્યાં જેમાં કેટલાયે તાલિબાની આતંકવાદી હતાં.
સ્થાનીય પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, હુમલામાં કેટલાક પ્રમુખ તાલિબાન કમાંડર પણ મૃત્યુ પામ્યાં. આ અગાઉ બુધવારે મામુજાઈ વિસ્તારમાં સુરક્ષાકર્મીઓએ પ્રમુખ તાલિબાની કમાંડર મિયાં ગુલની ધરપકડ કરી હતી.