ચીનના પશ્વિમોત્તર પ્રાંત છિંગ હાયમાં કાલે 7.1 ની તીવ્રાતા સાથે આવેલા વિનાશકારી ભૂકંપથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 589 પર પહોંચી ગઈ છે.
રેક્ટરે સ્કેલ પર 7.1 ની તીવ્રતાથી કાલે સવારે તિબેતના પઠારમાં સ્થિત છિંગ હાય પ્રાંતમા ભૂકંપના આંચકા અનુભવામાં આવ્યાં જ્યાં જીગૂ ગામના 85 ટકાથે વધારે મકાન ધસી પડ્યાં.
બીજી તરફ બેઈજિંગ સ્થિત ભારતીય દૂતાવાસે કહ્યું છે કે, તેણે કોઈ ભારતીય નાગરિકના મૃત્યુ પામવાના સમાચાર મળ્યાં નથી. આ બધા વચ્ચે અર્દ્યસૈનિક ટુકડીના જવાન અને બચાવકર્મી કાટમાળમાં દબાયેલા લોકોને બચાવવા માટે પોતાના હાથેથી કાટમાળ ઉઠાવી રહ્યાં છે. બચાવકર્મી પડેલા મકાનોના કાટમાળમાંથી 900 લોકોને જીવિત કાઢવામાં સફળ રહ્યાં છે.
હાલ અમેરિકાની યાત્રા પર ગયેલા ચીની રાષ્ટ્રપતિ હૂ જિંતાઓએ વધુમાં વધુ લોકોના પ્રાણ બચાવવા માટે દરેક સંભવ પ્રયત્ન કરવાની વાત કહી છે.
ચીન સરકારે પોતાના આ દૂરસ્થ ક્ષેત્રમાં બચાવ કાર્ય માટે 20 કરોડ યૂઆન (લગભગ ત્રણ કરોડ ડોલર)ની ફાળવણી કરી છે.