પાકિસ્તાનને ગુરૂવારે કહ્યું કે, આ માસના અંતમાં યોજાનારા દક્ષેસ શિખર સમ્મેલન અંતર્ગત વડાપ્રધાન યૂસુફ રજા ગિલાની અને તેમના ભારતીય સમકક્ષ મનમોહનસિંહ વચ્ચે હજુ સુધી કોઈ મુલાકાત નક્કી થઈ નથી જો કે, એક પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો અને વાતચીત ફરીથી શરૂ કરવા પર જોર આપવામાં આવ્યું હતું.
વિદેશ કાર્યાલયમાં પ્રવક્તા અબ્દુલ બાસિતે એક સાપ્તાહિક સમાચાર બ્રીફિંગમાં કહ્યું કે, 28-29 એપ્રિલના રોજ થિંપૂમાં દક્ષેશ શિખર સંમ્મેલ્ન અંતર્ગત બન્ને વડાપ્રધાનો વચ્ચે અત્યાર સુધી કોઈ મુલાકાત નક્કી થઈ શકી નથી જો કે, ઈસ્લામાબાદ દ્વારા નવી દિલ્હીમાં તાજેતરમાં જ આપવામાં આવેલા એક રોડમૈપમાં આ બેઠક માટે એક પ્રસ્તાવ હતો.
બાસિતે એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, જ્યાં સુધી ભૂટાનમાં ઔપચારિક મુલાકાતની વાત છે તેની રૂપરેખા હજુ સુધી બનાવવામાં આવી નથી.