Train hijack- બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાનમાં એક ટ્રેન હાઈજેક કરી હતી. લોચ લિબરેશન આર્મીના વિદ્રોહીઓએ આની જવાબદારી લીધી છે. 11 માર્ચે અપહરણ કરાયેલી ટ્રેનમાં લગભગ 450 મુસાફરોને બંધક બનાવવામાં આવ્યા હતા. શરૂઆતમાં, એન્કાઉન્ટરમાં 6 સૈનિકો માર્યા ગયા હોવાના અહેવાલ હતા, પરંતુ હવે તેમની સંખ્યામાં વધારો થયો છે. મોડી સાંજે BLA એ એક નિવેદન જારી કરીને કહ્યું કે તેણે 30 થી વધુ પાકિસ્તાની સૈનિકોને માર્યા છે.
બલૂચ વિદ્રોહીઓએ દાવો કર્યો છે કે 300 સૈનિકો માર્યા ગયા છે
બલૂચ લિબરેશન આર્મીએ અનેક નિવેદનોમાં દાવો કર્યો હતો કે તેઓએ 214 લોકોને બંધક બનાવ્યા હતા - જ્યારે અગાઉ તેઓએ 182 લોકોનો દાવો કર્યો હતો. જૂથે જણાવ્યું હતું કે જાફર એક્સપ્રેસમાં સવાર આશરે 400-500 લોકોમાં આ માણસો પાકિસ્તાની સુરક્ષા કર્મચારીઓ હતા, જ્યારે અન્ય નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા હતા. જૂથે સુરક્ષા દળો સાથેના ગોળીબારમાં દુશ્મનના 30 જવાનોને માર્યા હોવાનો દાવો કર્યો છે.
જોકે, પાક પોલીસે હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બલૂચ લિબરેશન આર્મી દ્વારા હાઇજેક કરાયેલી ટ્રેનમાંથી 104 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે. જેમાંથી 17 ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.