શરીફે લંડનમાં સંવાદદાતાઓને કહ્યુ, 'ઉરી હુમલો કાશ્મીરમાં પ્રતાડનાની પ્રતિક્રિયા હોઈ શકે છે. કારણ કે છેલ્લા બે મહિનામાં માર્યા ગયેલા અને પોતાની આંખો ગુમાવાનારા લોકોના પ્રિયજન અને નિકટના સંબંધીઓ દુખી અને ગુસ્સામાં છે.
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સમાં શરીફના હવાલાથી કહેવામાં આવ્યુ, "ભારત કોઈ તપાસ કર્યા વગર ઉરી ઘટનાના થોડા કલાક પછી પાકિસ્તાન પર આરોપ કેવી રીતે લગાવી શકે છે. તેમણે આરોપ લગાવ્યો કે આખી દુનિયા કાશ્મીરમાં ભારતના આત્યાચારો વિશે જાણે છે. જ્યા અત્યાર સુધી લગભગ 108 લોકો માર્યા ગયા છે અને 150 લોકોએ આંખ ગુમાવી છે અને હજારો લોકો ઘાયલ થયા છે.
ઉલ્લેખનીય છે કે ગયા રવિવારની સવારે જમ્મુ કાશ્મીરના ઉરીમાં સૈન્ય શિબિર પર જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓના હુમલામાં 18 જવાન શહીદ થઈ ગયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે આ નિંદનીય કૃત્યને અંજામ આપનારાઓને માફ કરવામાં નહી આવે. આ ઘટના પછી ભારત અને પાકિસ્તાનમાં રાજનયિક સ્તર પર ખૂબ તણાવ ઉભો થઈ ગયો છે અને બંને પક્ષ એકબીજા પર નિશાન તાકી રહ્યા છે.