ડેપ્યુટી ડાયરેક્ટર ક્ષિતિજ અગ્રવાલ દ્વારા બે પાનાંનો પત્ર ન્યૂઝ ચૅનલ્સ, સોશિયલ મીડિયા પર, સમાચાર એજન્સીઓ કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ તથા મીડિયા સંગઠનોને મોકલવામાં આવ્યો છે.
મીડિયા સમૂહોને સુરક્ષાબળો સાથેની કોઈ પણ અથડામણનું સીધું પ્રસારણ ન કરવા, સૂત્ર આધારિત માહિતી પ્રસારિત ન કરવા, સુરક્ષાબળોની હિલચાલ અંગે માહિતી સાર્વજનિક ન કરવા જેવી તાકીદ કરવામાં આવી છે.
પત્રમાં જણાવ્યા પ્રમાણે, 26-11, કારગિલ યુદ્ધ તથા કંધહાર વિમાન અપહરણકાંડ સમયે અમર્યાદ પ્રસારણને કારણે રાષ્ટ્રીયહિતો પર નકારાત્મક અસર થઈ હતી.