હુમલાખોરોએ ગોળીબાર કર્યો
પોલીસે રવિવારે આ ઘટના અંગે માહિતી આપી. આ હુમલો પેશાવરથી લગભગ 65 કિમી દક્ષિણ-પશ્ચિમમાં કોહાટ જિલ્લાના ઉપનગરીય વિસ્તાર રેગી શિનો ખેલમાં થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે લોકો ટાંડા ડેમથી તેમના વતન ગામ ખારા ઘરી મુહમ્મદ ઝાઈ પરત ફરી રહ્યા હતા, ત્યારે હુમલાખોરોએ ગોળીબાર શરૂ કર્યો હતો. પોલીસની મદદથી, બચાવ ટીમના અધિકારીઓએ મૃતદેહો અને ઘાયલોને કોહાટ જિલ્લા મુખ્યાલય હોસ્પિટલમાં લઈ ગયા. ઘાયલ વ્યક્તિને બાદમાં વિશેષ સારવાર માટે પેશાવરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો.