અમેરિકા સાથે ટ્રેડ વોરની વચ્ચે ચીને 85 હજાર ભારતીયોને આપ્યો વીઝા, કહ્યુ મિત્રોનુ સ્વાગત છે

બુધવાર, 16 એપ્રિલ 2025 (16:36 IST)
india china
China Issues VISA To Indians: એક બાજુ ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર ચાલી રહ્યુ છે તો બીજી બાજુ ભારત અને ચીન વચ્ચેના સંબંધો સતત સુઘરી રહ્યા છે.  આવુ એટલા માટે કહી શકાય છે કે ભારતમાં ચીની દૂતાવાસે 1 જાન્યુઆરીથી 9 એપ્રિલ 2025 ની વચ્ચે 85000 થી વધુ ભારતીય નાગરિકોને વીઝા આપ્યા છે.  
 
ભારતીય મિત્રોનુ સ્વાગત છે 
ચીની રાજદૂત જૂ ફેઈહોગના મુજબ 9 એપ્રિલ 2025 સુધી ભારતમાં ચીની દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસોએ આ વર્ષે ચીનની યાત્રા કરનારા ભારતીય નાગરિકોને 85000 થી વધુ વીજા રજુ કર્યા છે. તેમણે એક્સ પર લખ્યુ, ચીનની યાત્રા કરવા અને એક ખુલ્લા સુરક્ષિત, ઈમાનદાર અને મૈત્રીપૂર્ણ ચીનનો અનુભવ કરવા માટે વધુ ભારતીયોનુ સ્વાગત છે.  
 
ચીની સરકારે ભારત અને ચીન વચ્ચે સુગમ યાત્રાની સુવિદ્યા માટે અનેક પ્રકારની છૂટ પણ આપી છે. જે આ પ્રકારની છે.  
 
કોઈ ઓનલાઈન એપોઈંટમેંટ નહી - ભારતીય આવેદક હવે વગર કોઈ પૂર્વ ઓનલાઈન એપોઈંટમેંટના કાર્ય દિવસોમા સીધા વીજા કેન્દ્ર પર પોતાના વીઝા આવેદન જમા કરી શકે છે.  
 
બાયોમેટ્રિક છૂટ - ચીનમાં ઓછા સમય માટે આવનારા મુસાફરોને બાયોમેટ્રિક ડેટા પ્રદાન કરવાથી છૂટ આપવામાં આવી છે. જેનાથી પ્રોસેસિંગ ટાઈમ ઓછો થઈ ગયો છે. 
 
વીઝા શુલ્ક - હવે ચીની વીઝા ખૂબ ઓછા દરે પ્રાપ્ત કરી શકાય છે. જેનાથી ભારતીય આગંતુકો માટે યાત્રા વધુ કિફાયતી થઈ ગઈ છે. 
 
પ્રક્રિયા સમય: વિઝા મંજૂરી માટે લાગતો સમય હવે ઓછો થયો છે. હવે તેને ઝડપથી મુક્ત કરવાનું શક્ય બન્યું છે. આનાથી ઉદ્યોગપતિઓ અને પ્રવાસીઓ બંનેને ફાયદો થયો છે.
 
પ્રવાસન: ચીન ભારતીય પ્રવાસીઓ માટે મુસાફરીને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહ્યું છે. આ પ્રક્રિયામાં, ચીન તેના સાંસ્કૃતિક આકર્ષણો, જેમ કે તહેવારો અને સ્થળો વિશે પણ માહિતી પ્રદાન કરી રહ્યું છે.
 
ભારત-ચીન સંબંધો મહત્વપૂર્ણ  
દરમિયાન, ચીની દૂતાવાસના પ્રવક્તા યુ જિંગે ભારત-ચીન આર્થિક અને વેપાર સંબંધોના મહત્વ પર ભાર મૂક્યો છે. "ચીન-ભારત આર્થિક અને વેપાર સંબંધો પૂરકતા અને પરસ્પર લાભ પર આધારિત છે. યુએસ દ્વારા ટેરિફના દુરુપયોગનો સામનો કરી રહ્યા છીએ... બે સૌથી મોટા વિકાસશીલ દેશોએ સાથે ઊભા રહેવું જોઈએ," જિંગે કહ્યું. યુ જિંગે એમ પણ કહ્યું કે ટેરિફ યુદ્ધમાં કોઈ વિજેતા નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર