26/11 ના દોષીઓ પર કાર્યવાહી કરે પાક

ભાષા

સોમવાર, 12 એપ્રિલ 2010 (12:43 IST)
ND
N.D
અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પાકિસ્તાનના વડાપ્રધાન યૂસુફ રજા ગિલાનીને કહ્યું છે કે, પાકિસ્તાન મુંબઈ હુમલાના જવાબદાર લોકોને કાયદાના ઘેરામાં લે. ઓબામાએ ગિલાનીને કહ્યું કે, આ ક્ષેત્રમાં સ્થિતિઓમાં સુધાર આવશે. ઓબામાએ આ દરમિયાન પાકિસ્તાન સાથે કોઈ અસૈન્ય પરમાણુ સમજૂતિની પ્રતિબદ્ધતા ન વ્યક્ત કરી, જેવું અમેરિકાએ ભારત સાથે કર્યું છે.

વડાપ્રધાન મનમોહનસિંહ સાથે ઓબામાની મુલાકાત બાદ ઓબામાએ ગિલાની સાથે મુલાકાત કરી. ઓબામાએ પાકિસ્તાનના શીર્ષસ્થ પ્રતિનિધિમંડળને કહ્યું કે, મનમોહન ઈસ્લામાબાદ સાથે સંબંધ સુધારવા પ્રત્યે ગંભીર છે પરંતુ ઈચ્છે છે કે, પાકિસ્તાન મુંબઈ હુમલાના જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરે. બન્ને પ્રતિનિધિમંડળો સાથે બેઠકમાં આવેલા એક સૂત્રએ જણાવ્યું કે, ઓબામાએ કહ્યું કે, તેમનું માનવું છે કે, મનમોહનસિંહ પાકિસ્તાન સાથે વાર્તા પ્રત્યે ગંભીર છે પરંતુ તે ઈચ્છે છે કે, પાકિસ્તાન મુંબઈ હુમલાના જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરે.

સૂત્રોના અનુસાર ગિલાનીએ અમેરિકા સાથે અસૈન્ય પરમાણુ સમજૂતિનો મુદ્દો પણ ઉઠાવ્યો પરંતુ અમેરિકાએ તેના પર કોઈ પણ પ્રકારની પ્રતિબદ્ધતા વ્યક્ત ન કરી.

વેબદુનિયા પર વાંચો