રોકી શકાઈ હોત બેનજીરની હત્યા : યૂએન

ભાષા

શુક્રવાર, 16 એપ્રિલ 2010 (11:40 IST)
ND
N.D
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા રચિત સ્વતંત્ર સમિતિના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનની ભૂતપૂર્વ વડાપ્રધાન બેનજીર ભુટ્ટોની હત્યાને રોકી શકાઈ હોત. રિપોર્ટમાં બેનજીરની સુરક્ષામાં 'વિફળતા' માટે તત્કાલીન મુશર્રફ સરકારની પણ આલોચના કરવામાં આવી છે.

સંયુક્ત રાષ્ટ્રમાં ચિલીના રાજદૂત હેરાલ્ડો મુનોજના નેતૃત્વવાળી ત્રણ સભ્યોની સમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, 'બેનજીર ભુટ્ટોની હત્યાને ટાળી શકાઈ હોત'. રિપોર્ટમાં બેનજીરના પાકિસ્તાનમાં પરત ફરવા પર તેમની સુરક્ષા ન કરવા પર અને બાદમાં હત્યાની તપાસમાં જાણી જોઈને 'વિફળતા' માટે મુશર્રફ સરકારની પણ નિંદા કરવામાં આવી છે.

તપાસકર્તાઓએ એ વાત પર જોર આપ્યું છે કે, બેનજીરની જાનને ગંભીર ખતરો હોવા વિષે સૂચના આગળ આપવાને બદલે અધિકારીઓએ ખતરાને ટાળવા માટે કોઈ સુરક્ષાત્મક ઉપાય ન કર્યા.

વેબદુનિયા પર વાંચો