પાકિસ્તાન સેનાએ આજે સ્વીકાર કર્યુ હતું કે જમ્મુ-કાશ્મિરમાં મોટા આતંકવાદી હુમલાને પાર પાડવાના આરોપસર ગઈકાલે પકડવામાં આવેલ ગુલામ ફરીદ તેની સેનામાંથી ભાગી ગયેલ સૈનિક છે.
પાકિસ્તાન સેનાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે ગુલામ ફરીદ બે વર્ષ પહેલા જ પંજાબ પ્રાંતમાંના ઓકારા કસ્બામાંથી ગાયબ થઈ ગયેલ સૈનિક છે.
જોકે અધિકારીએ જમ્મુ-કશ્મિરમાં મોટા આતંકવાદી હુમલાના સડયંત્રનો ભાંડો ફોડવા અને પાકિસ્તાની સૈનિકની ધરપકડ કરવાના મામલે પાકિસ્તાને એ વાતનો નન્નો ભણ્યો હતો કે તે હવે પાકિસ્તાની સેનાનો જવાન નથી.