વિસ્થાપિતોના એક શિબિરમાં આજે એકપછી એક થયેલ બે બોમ્બ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા અને 50 બીજા ઘાયલ થઈ ગયા. પશ્ચિમોત્તર પાકિસ્તાનમાં આતંકવાદ વિરોધી અભિયાનને કારણે વિસ્થાપિત થયેલ લોકોને માટે આ શિવિર સ્થાપિત કરવામાં આવ્યુ હતુ.
પશ્ચિમોત્તર સરહદી સૂબાના શહેઅ હાંગૂથી 30 કિલોમીટર દૂર આવેલ એક રાહત શિબિરમાં થયેલ વિસ્ફોટની પ્રકૃતિ વિશે માહિતી મળવાની બાકી છે.
અહી મળી રહેલ સમાચાર મુજબ બે ધમાકામાં 20 લોકો માર્યા ગયા અને 50 અન્ય ઘાયલ થઈ ગયા. બીજા ધમાક ત્યારે થયો, જ્યાએ મોટી સંખ્યામાં લોકો પહેલા ધમાકામાં મૃતકોની લાશને હટાવી રહ્યા હતા અને ઘાયલોની મદદ કરી રહ્યા હતા.