ગાઝામાંથી નાકાબંધી હટાવે ઈઝરાઈલ : મૂન

ભાષા

સોમવાર, 22 માર્ચ 2010 (11:51 IST)
ND
N.D
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ બાન કી મૂને રવિવારે પોતાની ગાઝા પટ્ટી યાત્રા દરમિયાન કહ્યું કે, ઈઝરાઈલ આ ક્ષેત્રથી પોતાની નાકાબંધી હટાવે.

સમાચાર એજેંસી 'ડીપીએ' અનુસાર, ખાન યૂનિસ શહેરમાં પત્રકાર પરિષદને સંબોધિત કરતા બાને કહ્યું કે, નાકાબંધી સ્વીકાર્ય નથી. તેનાથી લોકોની સમસ્યા વધી છે અને આતંકવાદીઓને પ્રોત્સાહન મળી રહ્યું છે.

એક ઇઝરાઈલી સૈનિક ગિલાડ શાલિતને પકડવા અને ગાજાના આતંકવાદીઓ દ્વારા સીમા પાર હુમલા બાદ ઈઝરાઈલે જૂન 2006 થી આ ક્ષેત્રમાં સઘન નાકાબંધી કરી રાખી છે. બાને જબાલિયા શરણાર્થી શિબિર અને ખાન યૂનિસમાં સંયુક્ત રાષ્ટ્ર પ્રાયોજિત આવાસીય પરિયોજનાનો પ્રવાસ કર્યો.

ઈઝરાઈલે પોતાના દક્ષિણી શહેરો અને ગામો પર આતંકવાદીઓ દ્વારા રોકેટ હુમલાના જવાબમાં ડિસેમ્બર 2008 માં અહીં હુમલો કર્યો હતો. માનવાધિકાર સંગઠનો અનુસાર 22 દિવસ કરવામાં આવેલા હુમલામાં આશરે 1400 ફિલિસ્તીની મૃત્યુ પામ્યાં જેમાં મોટાભાગના સામાન્ય નાગરિક હતાં.

આ ઉપરાંત હજારો ભવનો નષ્ટ થઈ ગયાં. બાને કહ્યું કે, 'ગાઝામાં આવો વિનાશ જોઈને નિરાશા થાય છે જેનું પુનર્નિમાણ પણ સંભવ લાગતું નથી.''

વેબદુનિયા પર વાંચો