નેપાળના ભૂતપૂર્વ વડાપ્રધાન અને દેશની શાંતિ પ્રક્રિયાના શિલ્પકાર રહી ચૂકેલા ગિરિજા પ્રસાદ કોઈરાલાના નિધન પર આજે તેમને શ્રદ્ધાંજલિ આપવા હજારો શોકાકુલ લોકો રાજધાનીમાં એકત્ર થયાં. છ દશકથી પણ લાંબા વિશિષ્ટ રાજનીતિક કારકિર્દી રાખનારા કોઈરાલાનું લાંબી બીમારી બાદ 85 વષની ઉમરમાં કાલે મૃત્યુ નિપજ્યું.
તેમના પાર્થિવ દેહને સામાન્ય જનતાના દર્શનાર્થે દશરથ સ્ટેડિયમમાં રાખવામાં આવ્યો છે જેથી લોકો પોતાના મહાન નેતાને શ્રદ્ધાંજલિ આપી શકે. વિભિન્ન રાજનીતિક પક્ષોના નેતાઓ, મંત્રીઓ, સાંસદ સભ્યો, રાજદૂતો અને બુદ્ધિજીવીઓએ પાંચ વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા કોઈરાલાને શ્રદ્ધાંજલિ આપી.