અફઘાનિસ્તાન : ભારતીય દૂતાવાસ પાસે આત્મઘાતી હુમલો , 10ના મોત

શનિવાર, 3 ઑગસ્ટ 2013 (15:05 IST)
P.R
અફઘાનિસ્તાનના પૂર્વી ક્ષેત્ર નંગરહારની રાજધાની જલાલાબાદમાં આવેલ ભારતીય વાણિજ્ય દૂતાવાસની નિકત એક આત્મઘાતી હુમલો થયો છે. પોલીસના મુજબ સ્થાનિક સમયાનુસાર લગભગ 10 વાગ્યે આ હુમલો થયો. આ હુમલામાં 10ના મોત થયા જેમા મોટા ભાગના બાળકો છે. અને 24 લોકો ઘાયલ થયા. છે.

નંગરહાર ક્ષેત્રના પોલીસ પ્રમુખ જનરલ શરીફ અમીને જણાવ્યુ કે આ કાર બોમ્બ જલાલાબાદમાં ભારતીય દૂતાવાસ્ની તરફ જતા રસ્તામાં આવેલ એક મસ્જિદ પાસે લગાવ્યો હ અતો. જનરલ અમીને કહ્યુ કે હુમલામાં મોટાભાગના બાળકો પ્રભાવિત થયા છે જે મસ્જિદમાં ધાર્મિક કક્ષાઓમાં ભાગ લેવા ગયા હતા. ઉલ્લેખનીય છે કે જલાલાબાદને તાલિબાનો દ્વારા અવારનવાર નિશાન બનાવી હુમલા કરવામાં આવે છે.

વેબદુનિયા પર વાંચો