પથરીનુ શરીરમાં વારેઘડીએ બનવુ આરોગ્ય માટે સારુ નથી. પથરી બનવાની પ્રક્રિયા ખૂબ ધીરી હોય છે અને જ્યારે આકાર વધી જાય છે તો પીઠમાં બંને બાજુ દુખાવો શરૂ થઈને આગળની તરફ આવે છે. તીવ્ર દુ:ખાવા સાથે ઉલટી, પેશાબમાં બળતરા અને પેશાબ રોકાઈને આવવી એ પણ તેનુ લક્ષણ હોઈ શકે છે.
મુખ્ય કારણ - કિડનીની પથરીનુ મુખ્ય કારણ છે પાણી ઓછુ પીવુ. આ ત્યારે થાય છે જ્યારે શરીરમાં પાણી, મીઠુ અને મિનરલ્સનું સંતુલન બગડી જાય છે. જે લોકોને ગઠિયા મતલબ ગાઉટ હોય છે તેમની અંદર પથરી વધુ બને છે. બીજયુક્ત શાકભાજીઓ જેવી કે રીંગણ, ટામેટા, ભીંડા, મસાલાવાળા ભોજન, જંકફુડ અને ચા વધુ પીવાથી પણ પથરી થઈ શકે છે. વારેઘડીએ તાવ કે ટાયફોઈડથી કિડની કમજોર થવાથી પથરીની આશંકા રહે છે.
યૂરિક એસિડ સ્ટોન - ગઠિયા રોગથી ગ્રસિત પુરૂષોને આ પથરી થાય છે.
ઉપચાર - પથરીનો એલિયોપેથિક ઉપચાર સર્જરી છે. હોમિયોપેથિક ચિકિત્સામાં 30 એમ-એમ સુધીની પથરીને ઓપરેશન વગર કાઢી શકાય છે. 10 એમ-એમની પથરી 3-4 અઠવાડિયામાં બહાર નીકળી શકે છે. બીજી બાજુ 10 એમ-એમથી મોટી પથરીમાં 2-3 મહિના લાગી જાય છે.
- તાવ કે ટાયફોઈડ થતા ડોક્ટરની સલાહથી જ દવાઓ લો. વધુ તળેલુ, સેકેલુ ભોજન, ઘી, પિજ્જા, બર્ગર વગેરે ન ખાવ. રોજ 10 -12 ગ્લાસ પાણી પીવો. નિયમિત વ્યાયામ અને યોગાસન કરો. લીંબુ અને મોસંબી ખાવ. આ પથરીને ઓગાળીને બહાર કાઢવામાં સક્ષમ છે.