માંસાહારીઓને જે તત્વ માંસાહારમાંથી મળે છે તે જ રીતે શાકાહારી ભોજનમાં પણ તે તમામ તત્વો હાજર હોય છે. શાકાહારી ભોજનમાં પણ એટલાં જ પોષકતત્વો હોય છે જેટલાં માંસાહારીમાં. શાકાહારી ભોજનમાં રોગો સામે લડવાની ક્ષમતા હોય છે. માંસમાંથી મળનારા તત્વોને કારણે માંસાહારનું પાચન જલ્દી નથી કરી શકાતું, જ્યારે શાકાહારી ભોજનને જલ્દી પચાવી શકાય છે. આવો જાણીએ શાકાહારી ભોજનના ફાયદા વિષે...