પૉલિશ વગરના બ્રાઉન રાઈસ આરોગ્ય માટે સારા હોય છે.
ગરમીમા ખાવા પીવામાં બેદરકારીને કારણે મોટાભાગે પેટનો દુખાવો રહે છે. ગરમીમા આપણે આપણી ખોરાક પર ધ્યાન આપીએ છતા કોઈને કોઈ કમી રહી જાય છે. ગરમીમા વધુ મસાલેદાર ભોજનથી પેટમાં બળતરા થાય છે. પણ જો મસાલેદાર ભોજન લીધા પછી દહી ભાત ખાવામાં આવે તો પેટ ખરાબ નથી થતુ. બાળકોને પણ બહારનુ ખાવાથી પેટમાં તકલીફ થાય છે. તેમને દહી ભાત ખવડાવવાથી ફાયદો થશે.