કોરોનાની બીજી લહેર વૃદ્ધો જ નહી યુવાઓ પર પણ ભારે પડી રહી છે જાણો સંક્રમણના લક્ષણ

સોમવાર, 19 એપ્રિલ 2021 (07:42 IST)
દેશમાં કોરોના વાયરસના કેસમાં વધારો થવાની સાથે-સાથે તેના લક્ષણમાં ફેરફારના પણ સંકેત મળ્યા છે. આ વખતે કોરોના વૃદ્ધોથી વધારે યુવાને તેમની ચપેટમાં લઈ રહ્યો છે. આ વખતે એવા પણ દર્દી સામે આવ્યા છે. જેને તાવ અને શરદી-ખાંસી નહી પણ તે કોરોના સંક્રમિત મળ્યા છે. 
 
જેલેસ્ટ્રિગ્સ ડાયગ્નોસ્ટિક સેંટરની ફાઉંડર નિદેશક ગૌરી અગ્રવાલએ જનાવ્યુ કે વૃદ્ધ કરતા યુવાઓ વધારે સંક્રમિત મળી રહ્યા છે. તેણે કીધું કે આ વખતે લક્ષણ જુદા છે. ઘણા લોકોના મોઢા સૂકવાની ફરિયાદ, ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ, ઉલ્ટી, જી ગભરાવું, આંખ લાલ થવી અને માથાના દુખાવાની શિકાયત મળી છે. ગૌરીએ કહ્યુ કે બધા દર્દીને તાવની શિકાયત નથી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર