સારા સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક ખોરાક લેવો સલાહભર્યું છે. જો તમને ખોરાકમાંથી તમારા શરીરને જરૂરી પોષક તત્વો મળી રહ્યા નથી, તો તમારા આહારમાં કેટલીક એવી વસ્તુઓનો સમાવેશ કરો જે વિટામિન અને ખનિજોની જરૂરિયાત સરળતાથી પૂરી કરી શકે.
નાસ્તામાં અંજીરનું દૂધ
હેલ્થ એક્સપાર્ટ્સ કહે છે કે સવાર સવારે અંજીર સાથે દૂધનું સેવન કરવું એ એક પૌષ્ટિક વિકલ્પ છે. તે તમને આખો દિવસ કામ કરવાની એનર્જી તો આપે છે જ, સાથે જ શરીરને જરૂરી પોષક તત્વો પણ પૂરા પાડે છે. ચા અને કોફી સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે, તેના બદલે દરરોજ સવારે નાસ્તામાં અંજીરનું દૂધ પીવું તમારા સ્વાસ્થ્યને સારું રાખવામાં ખૂબ ફાયદાકારક બની શકે છે.
અંજીરવાળા દૂધના અનેક ફાયદા
આ દૂધમાં રહેલા પોષક તત્વો ઈમ્યુનિટી વધારવા, હાડકાં અને દાંતને મજબૂત બનાવવા, મગજના સ્વાસ્થ્યમાં સુધારો કરવા, બળતરા ઘટાડવા તેમજ સાંધા અને સ્નાયુઓના દુખાવામાં ઘટાડો કરવામાં મદદ કરે છે. આ પીણું લાંબા સમય સુધી તમારું પેટ ભરેલું રાખે છે, જેનાથી ભૂખ ઓછી લાગે છે. જો તમને દૂધ પસંદ ન હોય તો અંજીરને અડધા કપ પાણીમાં પલાળીને ખાઓ.
વિટામિન અને ખનિજનો ભંડાર
દૂધમાં પલાળેલા અંજીરનું સેવન કરવાથી ઘણા ફાયદા થઈ શકે છે. આ દૂધમાં વિટામિન A, C, K અને કોપર, મેગ્નેશિયમ, પોટેશિયમ, ઝીંક અને આયર્ન જેવા પોષક તત્વો જોવા મળે છે. આ દૂધમાં કેલરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે અને ફાઇબર વધુ હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. તેને પીવાથી, તેમાં જોવા મળતું ટ્રિપ્ટોફન નામનું એમિનો એસિડ સેરોટોનિનમાં રૂપાંતરિત થાય છે, જે સ્લીપ હોર્મોન મેલાટોનિનને વધારે છે, જેનાથી સારી ઊંઘ આવે છે.
આ વાતોનું રાખો ધ્યાન
અંજીરમાં રહેલ ઉચ્ચ ફાઇબર પાચનતંત્રને સુધારે છે. અંજીર સાથે દૂધ પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. જો તમને ડાયાબિટીસ છે અથવા તમે લોહી પાતળું કરવાની કોઈ દવા લઈ રહ્યા છો, તો આ દૂધ પીતા પહેલા આયુર્વેદિક ડૉક્ટરની સલાહ જરૂર લો. ડાયાબિટીસના દર્દીઓએ પણ તેનું સેવન કરતા પહેલા એક વાર ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, કારણ કે અંજીરનું વધુ પડતું સેવન કરવાથી શુગરનું સ્તર વધી શકે છે.