પથરી આપણા શરીરમાં આપમેળે જ બનવી શરૂ થાય છે. એના બનવાની કોઈ ચોક્કસ વય નથી હોતી. પ્રથમ એ નાના-નાના રૂપમાં રહે છે પછી જ્યારે તે મોટી થઈ જાય તો એના દુ:ખાવાને સહન કરવુ મુશ્કેલ થઈ જાય છે. પથરી આપણા શરીરમાં આપમેળે જ બને છે. જેમ કે પિત્તની પથરી ,ગુર્દાની પથરી અને કોઈ પણ જ્ગ્યાએ પહેલા નાની પછી મોટી થવા માંડે છે. થોડા ઘરેળુ ઉપાયની સહાયતાથી તમે આ પથરીના દુખાવામાં રાહત મેળવી શકો છો.
* પથરી થતાં નારિયેળ પાણી પીવાથી ફાયદો થાય છે.
* આમળાનો પાવડર તૈયાર કરી મૂળા સાથે સેવન કરવાથી પથરીથી રાહત મેળવી શકો છો.
* તુલસીના પાંદડાને દરરોજ ચાવવાથી પણ રાહત મળે છે.
* ડુંગળીનું સેવન કરવાથી કિડનીની પથરીથી રાહત મળે છે અને શક્ય હોય તો ડુંગળીના તાજા રસનું સેવન કરવાથી કિડનીની પથરી માટે ખૂબજ લાભદાયક સિદ્ધ થાય છે.