લોહીની શુદ્ધિથી લઈને પાચન સુધી વરિયાળીના ચમત્કારી ગુણ
બુધવાર, 18 માર્ચ 2015 (16:36 IST)
વરિયાળીમાં ઘણા ઔષધીય ગુણ હોય છે જેના સેવન કરવાથી સ્વાસ્થયને લાભ થાય છે. વરિયાળીમાં કેલ્શિયમ, સોડિયમ , પોટેશિયમ, જેવા તત્વો હોય છે. વરિયાળીના ફળ બીયડના રૂપમાં હોય છે અને એના બીયડ ખૂબ લાભકારી હોય છે. આવો જાણીએ વરિયાળી ખાવાના સ્વાસ્થય માટે કેટલા લાભકારી હોઈ શકે છે.
વરિયાળીના લાભ
વરિયાળી ખાવાથી પેટ અને કબ્જિયાતની શિકાયત નહી થાય. વરિયાળીને શાકર કે ખાંસ સાથે વાટીને ચૂર્ણ
બનાવી લો , રાતે સૂતા સમયે આશરે 5 ગ્રામ ચૂર્ણને હળવા હૂંફાળા પાણી સાથે સેવન કરો. પેટની સમસ્યા
નહી થાય અને કબ્જિયાત દૂર થશે.
* આંખની રોશની વરિયાણીના સેવન કરી વધારી શકાય છે. વરિયાણી અને શાકર સમાન ભાગ લઈને વાટી
લો. આ એક ચમચી માત્રા સવારે-સાંજ પાણી સાથે બે માહ સુધી લો આથી આંખની રોશની વધે છે.