નકારાત્મક વિચારો દૂર કરવાના નુસ્ખો

શનિવાર, 9 જાન્યુઆરી 2016 (14:55 IST)
વિચારોને નિયંત્રણમાં રાખવાની વસ્તુ ખૂબ અઘરી હોય છે અને તેના કારણે નકારાત્મક વિચારોને દૂર રાખવા ખૂબ મહેનત કરવી પડે છે. ઈઝરાયેલની બેન ગુરિયન યુનિવર્સિટીના રિસર્ચરો કહે છે કે મગજને નેગેટિવ વિચારોથી દૂર રાખવા તેને ટ્રેઈન કરી શકાય છે. સૌથી પહેલાં મગજને લાગણી સાથે ન સંકળાયેલા હોય તેવા વિચારોને કન્ટ્રોલમાં કરતાં શીખવવું જોઈએ. અામ કરવાથી નકામી માહિતીને જુદા તારવીને અવગણવાનું શીખી શકે છે. એક વખત ઈમોશન સાથે ન સંકલાળેલી માહિતીને ઈગ્નોર કરતા અાવે તો લાગણીઓને કન્ટ્રોલ કરવાની ક્ષમતા ઓટોમેટિક અાવી જાય છે. - 

વેબદુનિયા પર વાંચો