Shani Jayanti 2025 Wishes: જેઠ મહિનાની અમાસ તિથિના દિવસે આખા દેશમાં શનિ જયંતિ ઉજવાય છે. આ વર્ષે 27 મે 2025 ના રોજ શનિ જયંતિ છે. ધાર્મિક માન્યતાઓ મુજબ જેઠ મહિનાની અમાસ તિથિના રોજ સૂર્ય અને છાયાના પુત્ર શનિદેવનો જન્મ થયો હતો. તેથી આ દિવસે તેમની પૂજા અર્ચનાનુ વિશેષ મહત્વ છે. બીજી બાજુ જ્યોતિષ શનિદેવને ન્યાયનો કારક ગ્રહ માને છે. તેઓ વ્યક્તિને તેના કર્મના આધાર પર ફળ આપે છે. પણ શનિ મહારાજની કૃપા થતા વ્યક્તિના બધા કામ આપમેળે પૂર્ણ થાય છે અને કરિયરમાં સફળતા મળે છે. એવુ કહેવાય છે કે જો શનિ જયંતિ પર પ્રભુની વિધિ વિધાનથી ઉપાસન અને દાન કરવામાં આવે તોશનિ સાઢે સાતી શનિ દોષ સહિત અન્ય સમસ્યાઓ દૂર થાય છે. આ દરમિયાન બધાને શનિ જન્મ જયંતિની શુભકામનાઓ પણ આપવામા આવે છે. અહી આપેલા કેટલાક સંદેશ દ્વારા તમે પણ શુભેચ્છા મોકલી શકો છો.