રિલાયંસ ઈંડસ્ટ્રીઝના ચેયરમેન મુકેશ અંબાનીના ઘરે લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. આ અંબાની પરિવારના કોઈ સભ્યનુ લગ્ન નહી પણ આ પરિવારના ખૂબ જ નિકટના મિત્રના પુત્રીના લગ્ન છે. આ લગ્ન છે મનોજ મોદીની પુત્રી ભક્તિના. છેવટે એવુ તે શુ કારણ છે કે અંબાની પરિવાર કોઈ મિત્રની પુત્રીના લગ્નના મહેમાનોની આવાભગત કરી રહ્યા છે.
મનોજ મોદી મુકેશ અંબાણીના હજીરા પેટ્રોકેમિકલ્સ, જામનગર રિફાઈનરી, પહેલા ટેલીકોમ બિઝનેસ અને રિલાયંસ જેવા મોટા પ્રોજેક્ટ્સ સાચવી ચુક્યા છે. મનોજ મોદીએ જામનગર રિફાઈનરીમા કામ દરમિયાન કૉન્ટ્રેક્ટરો અને વેપારીઓ વચ્ચે જોરદાર ડીલિંગ કરી હતી. આ પ્રોજેક્ટ પછી જ મનોજ મોદી મુકેશ અંબાનીના પ્રિય ચહેરો બની ગયા હતા.