પશ્ચિમ રેલ્વે દ્વારા રેલ યાત્રા દરમિયાન શ્રેષ્ઠ સલામતી સુનિશ્ચિત કરવા માટે ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમની સ્થાપના

શનિવાર, 27 માર્ચ 2021 (10:34 IST)
પશ્ચિમ રેલ્વે હંમેશાં તેના આદરણીય મુસાફરોની સલામતી અને તમામ સંભવિત શ્રેષ્ઠ પગલાંથી સંબંધિત વિવિધ પ્રકારની સુવિધાઓ પ્રદાન કરવામાં અગ્રેસર રહી છે . પશ્ચિમ રેલ્વે દ્વારા વિવિધ સ્થળોએ માનવયુક્ત અને માનવરહિત બંને સ્તરના ક્રોસિંગ્સને કાઢી નાખવા , લેવલ કોસિંગ ગેટને ઇન્ટરલોક કરવા , રોડ ડાઉન બ્રીજ અને મર્યાદિત ઊંચાઈના સબવે તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ બુકલેટનું પ્રકાશન સહિત વિવિધ વિશિષ્ટ સલામતી ઝુંબેરા , સલામતી ર્નિરીક્ષણ હાથ ધર્યું છે અને હમણાં જ એનડીઆરએફ સાથે આયોજન , મોકડ્રિલ્સ , અગ્નિશામક તાલીમ અને તાજેતરમાં પશ્ચિમ રેલ્વેના મુંબઇ ઉપનગરીય ખંડ પર મોબાઇલ ટ્રેન કમ્યુનિકેશન સિસ્ટમની સ્થાપનાએ આ પ્રક્રિયામાં બીજું એક લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે . પશ્ચિમ રેલવેના મુખ્ય જૈનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રેસ રિલીઝ મુજબ , પશ્ચિમ રેલ્વે ક્રમબદ્ધ તમામ મેકેનિકલ સિગ્નલિંગ સ્થાપનોને દૂર કરી રહ્યું છે અને તેમની જગ્યાએ નવી કમ્યુટર આધારિત ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ્સ સ્થાપિત કરવામાં આવી રહી છે . વર્ષ 2021 દરમિયાન 40 સ્ટેશનો પર યુનિવર્સલ ફેઇલ સલામત બ્લોક ઉપકરણોવાળી કપ્યુટર આધારિત ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ અત્યાર સુધીમાં ગોઠવવામાં આવી છે . આ ટેકનોલોજીથી ઘણા ફાયદાઓ પ્રાપ્ત થયા છે , જેના પરિણામે સલામતીમાં નોંધપાત્ર સુધારો થયો છે તેમજ ટ્રેનોની ગતિમાં વધારો થયો છે . 50 કિ.મી. પ્રતિ કલાકની ગતિ ધરાવતી આ ટ્રેન હવે વધીને 100 કિ.મી. પ્રતિ કલાક થઈ ગયી છે . આ ઉપરાંત , કાર્યક્ષમતામાં પણ સુધારો થયો છે , જેણે ઓપરેટિંગ સમય ઘટાડ્યો છે . યાંત્રિક સિગ્નલિંગની પ્રતિસ્થાપનાથી જાળવણીમાં સુધારો કરવામાં આવ્યો છે . પરિણામે , ટોકન ઓથોરિટીનું અદલા - બદલી કરવાથી પણ બચી શકાય છે . આ રીતે , એક્સેલ સિંસ્ટમ કાઉન્ટર્સના ઉપયોગથી પ્લેટફોર્મ પર ટ્રેનોનું સંપૂર્ણ આગમન શક્ય બન્યું છે . પરિણામે , ટ્રેનોની સલામતીમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે .

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર