હાઈવે પર એટલો જ ટોલ આપવો પડશે જેટલી ગાડી ચાલશે

શનિવાર, 27 જાન્યુઆરી 2024 (13:02 IST)
કેન્દ્ર સરકાર સેટેલાઇટ આધારિત ઇ-ટોલિંગ સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે, એટલે કે સેટેલાઇટથી વાહનોને ટ્રેક કરવામાં આવશે. હાઇવે પર જેટલા કિલોમીટર વાહન ચલાવશો એટલો ટોલટેક્સ ચૂકવવો પડશે. આ વાતો આમ તો છેલ્લાં બે-ત્રણ વર્ષથી ચર્ચાઈ રહી છે, પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે આ નવી ટોલ પદ્ધતિ માટે થોડા દિવસ પૂર્વે જ ગુજરાતમાં પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. .
 
 
આ પ્રયોગ હેઠળ હવે દરેક 10 કિમીના અંતરે ઓટોમેટિક નંબર પ્લેટ રિકગ્નેશન કેમરા (એએનપીઆર) લગાવવામાં આવશે. આ કેમરા હાઈવે સાથે  જોડનારા રસ્તા પર પણ લાગશે. એએનપીઆર એ નજર રાખશે કે વાહન કંઈ લોકેશન સાથે એનએચ પર આવ્યુ. મતલબ જો કોઈ વ્વાહન નાના માર્ગ પરથી હાઈવે પર આવ્યુ અને બે કિમી બાદ જ ટોલ પ્લાઝા આવી ગયુ તો પ્લાઝા પર રહેલી ગાડીના ડેટા મુજબ ફક્ત બે કિમીનો જ ટોલ લાગશે. અત્યાર સુધી એક ટોલ પરથી બીજા ટોલના અંતરે પુરેપુરી રકમ વસૂલવામાં આવતી હતી. ભલે તમે ત્યા ન જઈ રહ્યા હોય.   
 
હવે આ નવતર પ્રયોગ માટે નવી કારમાં GPS ફરજિયાત છે. એટલે GPSથી રેકોર્ડ થશે કે કોઈ વાહનચાલકે હાઇવે પર ક્યાંથી પ્રવેશ કર્યો અને ક્યાંથી હાઇવે છોડીને અન્ય રસ્તા પર જાય છે. આ અંતરનો હિસાબ કરીને વાહનમાલિકના બેંક એકાઉન્ટમાંથી ટોલટેક્સની રકમ કપાઈ જશે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર