ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર ડી. સુબ્બારાવે સોમવારે કહ્યુ કે વૈશ્વિક આર્થિક મંદી આ વર્ષે જ નહી પરંતુ આવતા વર્ષ સુધી રહી શકે છે.
સુબ્બારાવે આઈએમએફની એક બેઠકમાં કહ્યુ કે વૈશ્વિક આર્થિક મંદી આ વર્ષે તો રહેશે જ આ ઉપરાંત નીતિગત ઉપાયો પ્રભાવી નહી રહ્યા તો આ આવતા વર્ષે પણ રહી શકે છે.
આ આંતરરાષ્ટ્રીય મૌદ્રિક અને નાણાકીય સમિતિની બેઠક માટે વોશિંગટન ગયેલ ભારતીય દલની આગેવાની કરી રહ્યા હતા. તેમણે કહ્યુ કે ભારતને 2008-09માં વૃધ્ધિ દર 6.5-6.7 ટકા રહેવાની અપેક્ષા છે અને 2009-10માં વાસ્તવિક જીડીપી વૃધ્ધિ દર લગભગ છ ટકા રહેશે.