પીરિયડ્સ એક એવો વિષય છે જેના વિશે લોકો વાત કરવાનું ટાળે છે. એટલુ જ નહી અનેક સ્થાન પર આજે પણ આ દિવસો દરમિયાન યુવતીઓ સાથે ખૂબ ખરાબ વ્યવ્હાર કરવામાં આવે છે. દરેક મહિલાને પીરિયડમાંથી પસાર થવુ પડે છે. પીરિયડ્સ દરમિયાન મહિલાઓને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. પીરિયડ્સને લઈને સમાજમાં અનેક વહેમ ફેલાયેલા છે.
આવો જાણીએ આ વહેમ અને તેની પાછળની હકીકત
1. અનેક લોકોનુ માનવુ છે કે આ દિવસોમાં યુવતીઓ અશુદ્ધ થઈ જાય છે. આવામાં તેમને રસોડામાં કે મંદિરમાં ન જવુ જોઈએ. પણ આવુ કશુ નથી હોતુ. ઉલ્લેખનીય છે કે આ પ્રક્રિયામાં શરીરમાંથી અનફર્ટિલાઈઝ્ડ એગ બહાર નીકળે છે.