જીવનમાં અપનાવવા જેવા સોનેરી સૂત્રો અને સલાહ
મંગળવાર, 7 એપ્રિલ 2015 (15:11 IST)
* ‘કેમ છો’ કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઈએ.
* શ્રેષ્ઠ પુસ્તકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય.
* કોઈએ લંબાવેલો (દોસ્તીનો) હાથ કયારેય તરછોડવો નહીં.
* બહાદુર બનો અથવા તેનો દેખાવ કરો.
* આનંદમાં આવો ત્યારે બીજાને પણ સહભાગી બનાવો.
* કોઈને પણ ખાનગી-અંગત વાત કહેવી નહીં કહેતાં પહેલાં બે વખત વિચારો.
* કોઈને મહેણું કે ન ગમતો વ્યવહાર કદી ન કરો.
* બે થી ત્રણ ભાષા શીખી લેવા પ્રયત્ન કરશો.
* રાત્રે જમતી વખતે ટી.વી. કે વાતો કરવાનું બંધ રાખો.
* નકારાત્મક પ્રકૃતિના માણસોને મળવાનું ટાળો.
* રાજકારણીની શંકાની નજરે જુઓ.
* દરેક વ્યક્તિને બીજી તક અવશ્ય આપો ત્રીજી કદી નહીં.
* સંતાનો નાના હોય ત્યારથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્ત્વ સમજાવો.
* જે ગાંઠ છોડી શકાય એવી હો તેને કયારેય કાપશો નહીં.
* જેને તમે ચાહતા હોય કે ગમતી વસ્તુ હોય તેની સતત કાળજી લેતા રહો.
* તમને અનુકૂળ હોય તેવા પિકનિક પર વારંવાર કુટુંબના સભ્યો સાથે જવાનું ગોઠવો.
* કોઈપણ કોર્ટ કે પોલીસ કેસથી હજારો જોજન દૂર રહો.
* ગોસિપ, નિંદા, જુગાર, ગપસપ અને કોઈપણ ના પગાર કે આવકની ચર્ચાથી હંમેશા દૂર રહો.