.
ભાજપના નેતા નરેન્દ્ર મોદીએ આજે મુલાયમના ગઢમાં જ તેમને લલકાર્યા. રેપને લઈને વિવાદાસ્પદ નિવેદન આપનારા સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ પર નિશાન લગાવતા કહ્યુ કે તેઓ બળાત્કારીઓ માટે એકદમ મુલાયમ મનના છે. યૂપીના ઈટાવામાં એક જનસભાને સંબોધિત કરતા મોદીએ મુલાયમ પર જોરદાર પ્રહારો કર્યા. મોદીએ કહ્યુ કે યૂપીના યદુવંશીઓની ચિંતા નેતાજીને નથી. નેતાજીને ફક્ત જાનવરો પ્રત્યે પ્રેમ છે.