વિશ્વનુ તંત્ર એક પરમાત્માની ઇચ્છા વડે જ ચાલી રહ્યું છે સ્થાવર, જંગમ સર્વ પ્રાણી માત્ર ઈશ્વરની ઇચ્છાને આધીન છે. સાચી કે ખોટી જ્યારે જેવી પ્રેરણા થાય, તેવું કાર્ય કરવા જીવપ્રેરાય છે.પરંતુ પ્રભુ કૃપા હોય તો સત્કર્મ કરવા અને દુષ્કર્મથી દૂર થવા નિશ્ચયી થવાય છે. ખરૂ કહુ તો આ માતાજી વિશેની માહિતી મેળવવાની પ્રેરણા અમને પરમ કૃપાળુ પરમાત્માની જ રહી હશે ? ગુજરાતનો ભાતીગળ ભંડાર એટલે રાસ ગરબા - રાસગરબા એટલે ગુજરાતનું ઘબકતુ હૃદય, જુવાન હૈયાનો જુવાળ, રાતનો રણકાર, મીઠા ઉજાગરા, શણગારની વણઝાર સાથે અમારો પ્રથમ પ્રયાસ અને તમારો પ્રથમ અનુભવ મળીને ભારતના ગર્વિષ્ટ, ગુજરાતને અને તેના આ મ્હાલતા ઉત્સવને, દેશ-વિદેશમાં રહેલા આપણા પોતાના ગુજરાતી નાગરિકોને પહોંચાડવા માટે જ છે. આ અવસરને આવકારીને ગૌરવ પ્રદાન કરશો, તેવી આશા છે. આમાં પ્રાચીન અને અર્વાચીન ગરબાનો સમન્વય કરીને પ્રસ્તુત કરીએ છીએ.