Diwali 2023- આવો જાણીએ 2023 માં દિવાળી ક્યારે છે, તારીખ અને મુહૂર્ત

શુક્રવાર, 10 નવેમ્બર 2023 (13:15 IST)
પંચાંગ અનુસાર, દિવાળીનો તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે વર્ષ 2023 માં, દિવાળી 12 નવેમ્બર રવિવારે કારતક અમાવસ્યાની તારીખે ઉજવવામાં આવશે. દિવાળીનો તહેવાર સુખ, સમૃદ્ધિ અને વૈભવનું પ્રતિક છે. દિવાળીના તહેવાર પર લક્ષ્મીજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દિવાળી પર લક્ષ્મીજીની વિધિપૂર્વક પૂજા કરવાથી જીવનમાં કીર્તિ અને કીર્તિ બની રહે છે અને જીવનમાં ધનની કમી દૂર થાય છે.
 
ધનતેરસ કઈ તારીખે છે
Dhanteras 2023- ક્યારે છે ધનતેરસ 2023
10 નવેમ્બર શુક્રવારે 
 
દિવાળી 2023  દિવાળી ક્યારે છે-  Diwali 2023 
12 નવેમ્બર રવિવારે 
 
દિવાળીના શુભ મુહૂર્ત
શુભ મુહુર્ત 12 નવેમ્બર 2023ની રાત્રે રહેશે. જો કે, 12 નવેમ્બર, 2023 ના રોજ દિવાળીના દિવસે, લક્ષ્મી ગણેશની પૂજા માટેનો શુભ સમય સાંજે 5:40 થી શરૂ થઈને 7:36 સુધી રહેશે. પરંતુ મહાનિષ્ઠ કાળનો શુભ મુહુર્ત બપોરે 11:49 થી 12:31 સુધીનો રહેશે.
 
લક્ષ્મી પૂજા મુહૂર્ત : 17:40:57 to 19:36:50
અવધિ: 1 કલાક 55 મિનિટ
પ્રદોષ કાલ :17:29:G થી:07:41 
ગુરુ કાલ :17:40:57 થી 19:36:50
 
દિવાળી મહાનિશિતા કાલ મુહૂર્ત
લક્ષ્મી પૂજા મુહૂર્ત : 23:39:02 to 24:31:52
સમયગાળો :0 કલાક 52 મિનિટ
 
દિવાળીના દિવસે માતા લક્ષ્મીજીના આ ચિત્રની પૂજા કરવી
 
લક્ષ્મી પૂજનની રીત (દિવાળી લક્ષ્મી પૂજન)
દિવાળી પૂજા વિધિ -  diwali ki puja vidhi 
દિવાળી Diwali ની પૂજા દરમિયાન સર્વપ્રથમ એક બાજટ લો અને સફેદ વસ્ત્ર બાજટ પર પાથરી લો. હવે ભગવાન ગણેશ, દેવી લક્ષ્મી અને સરસ્વતીની પ્રતિમા અથવા તસ્વીર તે બાજટ પર વિરાજીત કરો. 
 
ત્યારબાદ જળપાત્ર માંથી થોડુ જળ લઈને તેને નિમ્ન મંત્રનો જાપ કરતા પ્રતિમા ઉપર છાંટી દો. ત્યારબાદ પૂજા સ્થાન અને પોતાની ઉપર છાંટો. પાણી છાંટીને ખુદને પવિત્ર કરો. 
 
Diwali History: - દિવાળીનો ઈતિહાસ, દિવાળી શા માટે ઉજવવામાં આવે છે, પૌરાણિક કથાઓ
દિવાળી પૂજા મંત્ર - diwali puja mantra
 
ऊँ अपवित्र: पवित्रो वा सर्वावस्थां गतोपि वा। य: स्मरेत् पुण्डरीकाक्षं स: वाह्याभंतर: शुचि:।।
 
ત્યારબાદ પૃથ્વી માતાને પ્રણામ કરતા નિમ્ન મંત્ર બોલો અને તેમની પાસે તમારી ભૂલો માટે ક્ષમા માંગો. 
 
पृथ्विति मंत्रस्य मेरुपृष्ठः ग ऋषिः सुतलं छन्दः कूर्मोदेवता आसने विनियोगः॥
 
દિવાળી Diwali ધ્યાન અને સંકલ્પ વિધિ 
 
પૂજા દરમિયાન તમારુ મન અને ચિત્ત શાંત રાખો અને સંપૂર્ણ શ્રદ્ધા ભાવથી ભગવાનનુ ધ્યાન કરો. ત્યારબાદ હાથમાં જળ લઈને સંકલ્પ કરો સાથે જ ફુલ અને ચોખા પણ હાથમાં લો. ત્યારબાદ ધ્યાન કરતા આવો સંકલ્પ લો - હુ તમારુ નામ, તમારુ સ્થાન, સમય માતા લક્ષ્મી, સરસ્વતી અને ભગવાન ગણેશની પૂજા કરવા જઈ રહ્યો છુ. જેનુ મને શાસ્ત્રોકત ફળ પ્રાપ્ત થાય. 
 
ત્યારબાદ સૌ પહેલા ભગવાન ગણેશજી અને ગૌરી પૂજન કરો. ત્યારબાદ કળશ પૂજન કરો પછી નવગ્રહોનુ પૂજન કરો. હાથમાં ચોખા અને પુષ્પ લઈ લો અને નવગ્રહ સ્ત્રોત બોલો. 

15 Tips to Eat Sweets on Diwali- દિવાળી પર મિઠાઈ ખાતા સમયે આ વાતની કાળજી રાખવી, ન તો વજન વધશે કે ન તો શુગર
 
ત્યારબાદ બધા દેવી દેવતાઓને લાલ દોરો અર્પણ કરો અને ખુદના હાથ પર પણ બાંધી લો. હવે બધા દેવી દેવતાઓને તિલક લગાવીને ખુદ પણ તિલક લગાવો. ત્યારબાદ મહાલક્ષ્મીની પૂજા આરંભ કરો. 
 
દિવાળી Diwali માં માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શ્રીસૂક્ત, કનકધારા અને લક્ષ્મી સૂક્તનો પાઠ કરો. 
 
સૌ પહેલા ભગવાન ગણેશની પૂજા કરો ત્યારબાદ દેવી લક્ષ્મીની આરતી કરો. તેમની સમક્ષ 7, 11 અથવા 21 દિવા પ્રગટાવો અને માતાને શ્રૃંગાર અર્પિત કરો.  શ્રી સૂક્ત, લક્ષ્મી સૂક્ત અને કનકધારાનો પાઠ કરો. તમારી પૂજા પૂર્ણ થશે. છે.

diwali 2023

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર