મેચ માટે ગુરૂવારે ઘર્મશાળા પહોચ્યા પછી વિરાટે સંવાદદાતાઓને કહ્યુ કે અમે હરિફાઈ માટે માનસિક રૂપે તૈયાર છીએ. અહીની ઋતુ ઠંડી છે. પણ અમે અહી પહેલા પણ અનેક મેચ રમી છે. અહીની પિચ બેટિંગ અને બોલિંગ માટે અનુકૂળ છે પણ અમે અત્યાર સુધી આ નિર્ણય નથી કર્યો કે ટીમ ટોસ જીત્યા પછી અમે બેટિંગ કરીશુ કે બોલિંગ. આનો નિર્ણય અમે મેચ પહેલા કરીશુ.