આઈપીએલ સ્પોટ ફિક્સિંગ બાબતે શુક્રવારે સુપ્રીમ કોટે મુદ્દગલ કમિટી પર સુનાવણી કરી. કોર્ટે મુદ્દગલ કમિટીની રિપોર્ટમાં જે લોકોનુ નામ છે તેમનો ખુલાસો કર્યો. રિપોર્ટમાં પાંચ અધિકારી અને ત્રણ ખેલાડીઓના નામ છે. કોર્ટે જણાવ્યુ કે રિપોર્ટમાં ખેલાડીઓનો રોલ સ્પષ્ટ નથી. આ બાબતે આગામી સુનાવણી હવે 24 નવેમ્બરના રોજ થશે.
આ રિપોર્ટમાં મયપ્પન,રાજ કુંદ્રા, સુંદર રમન અને એન શ્રીનિવાસનનુ નામ છે. કોટે કહ્યુ કે રિપોર્ટમાં ચાર ખેલાડીઓનો રોલ સ્પષ્ટ નથી. કોર્ટે કહ્યુ કે ખેલાડીઓના નામ મુદ્દગલ રિપોર્ટમાંથી હટાવાશે. અને તેમના વકીલોને અપાશે.