મુલ્લાનપુરમાં રમાયેલી મેચમાં લખનૌના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા, પંજાબ કિંગ્સે 7 વિકેટ ગુમાવીને 254 રન બનાવ્યા. પંજાબ માટે કૂપર કોનોલી અને પ્રિયાંશ આર્યએ વિસ્ફોટક ઇનિંગ્સ રમી. કૂપરે 87 રન બનાવ્યા, જ્યારે પ્રિયાંશ 93 રન બનાવ્યા. લખનૌ માટે પ્રિન્સ યાદવ અને એમ. સિદ્ધાર્થે બે-બે વિકેટ લીધી.
પંજાબ કિંગ્સના વિશાળ સ્કોરનો પીછો કરતા, લખનૌની ઇનિંગ્સની શરૂઆત શાનદાર રહી. પાવરપ્લેમાં આયુષ બદોની અને મિશેલ માર્શે મળીને 61 રન બનાવ્યા. જોકે, છઠ્ઠી ઓવરના છેલ્લા બોલ પર આયુષ બદોની આઉટ થઈ ગયા. ત્યારબાદ મિશેલ માર્શે 40 રન બનાવ્યા. 11.1 ઓવરમાં સ્કોર 109 સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં લખનૌએ બે બેટ્સમેન ગુમાવી દીધા હતા. અહીંથી, રન રેટ વધારવાની જરૂર હતી, પરંતુ LSG ની ઇનિંગ્સ ડગમગી ગઈ, 139 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી. અંતે, એડન માર્કરામ અને મુકુલ ચૌધરીએ રન રેટ વધારવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ પંતની ટીમ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ફક્ત 200 રન જ બનાવી શકી. આમ, પંજાબે 54 રનથી મોટી જીત મેળવી.
પ્રિયાંશ-કોનોલીએ 182 રન જોડ્યા
પ્રિયાંશ આર્યાના 93 અને કૂપર કોનોલીના 87 રનની મદદથી પંજાબ 250ને પાર પહોંચ્યું હતું. બંનેએ 80 બોલ પર 182 રનની ભાગીદારી કરી હતી. પંજાબે 3 રનના સ્કોર પર પ્રભસિમરન સિંહની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાંથી પ્રિયાંશ અને કોનોલીએ સદીની ભાગીદારી નોંધાવી હતી.
255 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહેલી લખનઉની ટીમે 10 ઓવરમાં 100 રન બનાવી લીધા હતા અને 9 વિકેટ હાથમાં હતી. ત્યારબાદ ટીમે સતત વિકેટો ગુમાવી હતી. કોઈ પણ બેટર ફિફ્ટી ફટકારી શક્યો નહીં. કેપ્ટન રિષભ પંતે સૌથી વધુ 43 રન બનાવ્યા હતા. એડન માર્કરમે 42 અને મિચેલ માર્શે 40 રનનું યોગદાન આપ્યું હતું. આયુષ બદોનીએ 35 રન બનાવ્યા હતા. માર્કો યાન્સેને 2 વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહ, વિજયકુમાર વૈશાખ અને યુઝવેન્દ્ર ચહલે એક-એક વિકેટ ઝડપી હતી.