કોહલી રમે છે ઓછુ અને ઉછળે છે વધારે - કમાલ રાશિદ ખાન

શનિવાર, 10 જૂન 2017 (15:08 IST)
હંમેશા ટ્વિટરના માધ્યમથી વિવાદોમાં ફસાયેલા બોલીવુડના કમાલ રાશિદ ખાન એકવાર ફરી ચર્ચામાં છે. તેમણે ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીની ટ્વિટર પર જોરદાર આલોચના કરી. એટલુ જ નહી તેમણે ભારતને શ્રીલંકા તરફથી મળેલી 7 વિકેટની હાર પર અભદ્ર ટિપ્પણી પણ કરી. તેમણે લખ્યુ કે આજે સ્પષ્ટ થઈ ગયુ છે કે ટીમ ઈંડિયા ચેમ્પિયંસ ટ્રોફી 2017 જીતી શકતી નથી. કારણ કે બીસીસીઆઈની ટીમ સેમીફાઈનલ કે ફાઈનલમાં જરૂર હારશે. 
 
કમાલ રાશિદ ખાન આટલેથી જ રોકાયા નહી ત્યારબદ તેમણે કોહલીને પોતાનુ નિશાન બનાવતા કહ્યુ કે મને લાગે છે કે વિરાટ કોહલી જીંદગીમાં કોઈ ટ્રોફી નથી જીતી શકતા.  કારણ કે એ રમે છે ઓછુ અને ઉછળે છે વધુ. વિચારે છે ઓછુ અને ગાળો વધુ બોલે છે. 
 
ત્યારબા એક વધુ ટ્વીટ કરતા તેમણે લખ્યુ કે ભાઈ કોહલી, દગાબાજ અને વૉન્ટેડ માલ્યા સાથે પાર્ટી કરશો તો પરિણામ તો આ જ થવાનુ છે.  ગરીબોની હાય તો જીતવા નહી દે. ત્યારબાદથી ટ્વિટર પર લોકો કેઆરકેની ખૂબ આલોચના કરી રહ્યા છે. 

વેબદુનિયા પર વાંચો