ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(બીસીસીઆઈ)ના અધ્યક્ષ અને જાણીતા ખેલ પ્રશાસક જગમોહન ડાલમિયાનુ રવિવારે રાત્રે દક્ષિણ કલકત્તાના એક ખાનગી હોસ્પિટલમાં હાર્ટ અટેકથી નિધન થઈ ગયુ. તેઓ 75 વર્ષના હતા. દિલમાં દુ:ખાવાની ફરિયાદ થતા તેમને ગુરૂવારે બીએમ બિડલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા તેમની એંજિયોગ્રાફી પણ થઈ હતી. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યુ કે આંતરિક રક્તસ્ત્રાવ અને અંગોના કામ કરવુ બંધ કરી દેવાથી ડાલમિયાનુ નિધન થઈ ગયુ.
બંગાળના ક્રિકેટ સંઘ (કૈબ)ના સૂત્રોએ જણાવ્યુ કે સાંજે છ વાગ્યે તેમની હાલત બગડી ગઈ અને તેમને ત્યારબાદ હાર્ટ એટેક આવ્યો. જયાર પછી તેઓ ઠીક ન થઈ શક્યા રાત્રે 9.15 વાગ્યે તેમને અંતિમ શ્વાસ લીધા. ડાલમિયા છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા નએ બીસીસીઆઈના રોજબરોજના સંચાલનમાં સક્રિય રૂપે હાજર નહોતા રહી શકતા. સોમવારે કેવડાતલા સ્મશાન ઘાટમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ડાલમિયાએ 10 વર્ષના લાંબા સમય પછી આ વર્ષે માર્ચમાં બીજીવાર બીસીસીઆઈની કમાન સાચવી હતી. જ્યારે તેમને ચૂંટણીમાં વોકઓવર મળી ગયુ હતુ. પણ ત્યારબાદથી તેઓ બીમાર રહ્યા હતા અને છેલ્લા કેટલાક અઠવાડિયાથી તેમની તબિયત વધુ બગડી ગઈ. સૂત્રોના જણાવ્યા મુજબ બીસીસીઆઈ સચિવ અનુરાગ ઠાકુર અને આઈપીએલ અધ્યક્ષ રાજીવ શુક્લા સોમવારે અહી પહોંચશે.