Ipl 2021 KKR Vs MI - કેકેઆર સામેની જીત બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ બોલરોની જોરદાર વખાણ કરી, બેટ્સમેનને આ સલાહ આપી

બુધવાર, 14 એપ્રિલ 2021 (10:12 IST)
Ipl 2021 KKR Vs MI - કેકેઆર સામેની જીત બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ બોલરોની જોરદાર વખાણ કરી, બેટ્સમેનને આ સલાહ આપી
 
ઈડિયમ પ્રીમિયર લીગ ના 14મા સીજનની શરૂઆત ભલે મુંબઈ ઈંડિયસની હારની સાથે કર્યુ હોય. પણ કોલકત્તા નાઈટ રાઈડર્સ (કેકેઆર) ની સામે ટીમએ જે રીતે જીત હાસલ કરી તેનાથી ફેંસ ખૂબ ખુશ થશે. રોહિત શર્માની કપ્તાની વાળી મુંબઈ ઈંડિયસ કેકેઆરના મોઢાની સામેથી જીત છીનવી અને તેમાં બૉલરનો મોટું હાથ રહ્યું. ચેન્નઈના એમએ ચિંદબરમ સ્ટેડિયમમાં રમાતા આ મેચમાં મુંબઈ ઈંડિયસએ 153 રનના લક્ષ્યથી બચાવ કરતા થયા કેકેઆરને 10 રનથી હરાવ્યુ. એક સમય કેકેઆરને 31 બૉલ પર 31 રનની જરૂર હતી અને તેના ખાતામાં સાત વિકેટ બચ્યા હતા. પણ ત્યારબાદ મુંબઈ ઈડિયંસના બૉલરએ પૂરા મેચની રૂપરેખા જ બદલી દીધી. મેચ પછી કેપ્ટન રોહિતએ બૉલરના વખાણ કરી પણ સાથે જ બેટસમેનએ એક ખાસ સલાહ પણ આપી. 
 
મેચ પછી રોહિતએ કહ્યુ,  જોરદાર પુનરાગમન, બધાને ગજબનો જુસ્સો જોવાયા. તમે આવા મેચ ભાગ્યેજ જોશો. આ મેચથી ઘણો કોંફીડેંસ મળશે. કેકેઆરએ પાવરપ્લેમાં શાનદાર બેટીંગ કરી હતી. રાહુલ ચાહર બૉલિંગ માટે તમે અને અમારા માટે કેટલાક મહત્વના વિકેટ લીધા. ક્રુણાલ પંડયાએ કેટલાક કડક ઓવર ફેંક્યા જે અમારા માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થયા.  આ પૂર્ણ રૂપે ટીમની કોશિશ હતી અને તેનો શ્રેય બૉલરોને જાય છે. 
 
રોહિતએ આગળ ખ્યુ કે 'બેટ્સમેન તરીકે તમારે આગળ વધવું પડશે. ચેન્નાઈનો ટ્રેંડ એ છે કે તમે પ્રથમ બોલથી મોટા શોટ રમવાનું શરૂ કરી શકતા નથી. જ્યારે તમે બેટિંગ કરવા જાઓ છો, ત્યારે તમારે પ્લાનિંગ કરીને જવું પડશે. અમે 15-20 કરતા ઓછા રન બનાવ્યા હતા. આપણે અંતે સારી બેટિંગ કરી હોવી જોઈએ. ડેથ ઓવરમાં કેવી બેટિંગ કરવી તે આપણે સમજવું પડશે, પરંતુ હું સાથી ખેલાડીઓ પાસેથી કંઈપણ છીનવા માંગતો નથી. સૂર્યકુમાર યાદવ પોતાનું ફોર્મ આગળ ધપાવી રહ્યા છે. તે નિર્ભયતાથી રમે છે. આ આપણા માટે પૉજિટિવ બાબત છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર