ડિલીવરી પછી તરત માતાએ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મહિલાને અનેક સમસ્યા જેવી કે નબળાઈ આવવી, શરીરમાં દુખાવો થવો, કબજિયાત જેવી બીમારીઓનો સામનો કરવો પડે છે. આવી પરિસ્થિતિમાં સ્ત્રીઓએ પોતાનુ વિશેષ ધ્યાન રાખવુ જોઈએ જેથી તેઓ આ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકે અને તેમનુ સ્વાસ્થ્ય પણ સારુ રહે. તો આવો અમે તમને કેટલાક વિશેષ ઉપાય બતાવીએ છીએ જેનાથી તમે આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો.
મેથીનો શીરો ખાવ - મેથીનો શીરો ખાવો જોઈએ. આ સ્તનપાન માટે ખૂબ લાભકારી હોય છે. તેનાથી દૂધમાં વધારો થય છે. તેને બનાવવા માટે મેથીને કુકરમાં ઉકાળી લો અને એક પેનમાં બાફેલી મેથી, 1 કપ ગોળ અને નારિયળનુ દૂધ નાખો અને સારી રીતે સેકો અને તેમા એક કપ ઘી નાખો અને સરી રીતે મિક્સ કરી લો. શીરો તૈયાર છે .