આજકાલના બાળકો ટીવી જોવામાં વધુ સમય વ્યતીત કરે છે અને ટીવી જોવાની લોકપ્રિયતા એટલી વધી ગઈ છે કે અનેક પેરેંટ્સ તો બાળકોને ટીવી જોવાની ના પાડતા જ નથી. જેની સીધી અસર તેમના આરોગ્ય પર પડે છે અને સાથે અભ્યાસને પણ નુકશાન થાય છે. ભલે ટીવી દ્વારા બાળકોને મનોરંજન અને થોડી માહિતી મળતી હોય પણ તેને જોવાની કોઈ સીમા હોવી જોઈએ.
- ટીવી વધુ જોવાથી બાળકોનો સ્વભાવ ચિડિયો થઈ જાય છે.
- એક નવા અભ્યાસ મુજબ વધુ ટીવી જોવાથી બાળકોના મસ્તિષ્કની સંરચનાને બદલી શકાય છે.