- ભારતીય સંસ્કૃતિમાં શિક્ષકોનું સ્થાન માતા-પિતા કરતાં પણ ઉંચુ માનવામાં આવ્યું છે. તેથી બાળકોના વિકાસમાં શિક્ષકોનું ખુબ જ મહત્વપુર્ણ સ્થાન છે.
- શિક્ષકોને બાળકોના સર્વાંગીણ વિકાસ માટે પ્રેરિત કરવા જોઈએ.કેમકે શિક્ષાનો ઉદ્દેશ્ય માત્ર લખવા-ભણવા સુધી જ સીમિત નથી પરંતુ, શિક્ષાનો ઉદ્દેશ્ય છે બાળકોનો સર્વાંગીણ વિકાસ.
- શિક્ષકોએ બાળકોમાં ક્યારેય પણ કોઈ મતભેદ ન કરવો જોઈએ.બધા જ બાળકોને સમાન સ્નેહ આપો.
- બાળકોને મારઝુડથી પોતાના કાબુમાં કરવાની જગ્યાએ પ્રેમ અને સૌહાર્દથી સમજાવો.
- બાળકોની ખોટી આદતો વિશે તેમના માતા-પિતાને જાણ કરો.
- ભણવામાં નબળા બાળકોની નિંદા ન કરશો.
- નબળા બાળકોની એક્સ્ટ્રા ક્વોલીટીને ઓળખો અને તેમાં બાળકને આગળ વધારો.