બાળકોમાં આયોડિનની ઉપણ ન સર્જાય એ બહુ જરૂરી છે કારણ કે બાલ્યાવસ્થામાં આયોડિનની ઉણપથી બાળકનો માનસિક અને શારીરિક વિકાસ નથી થઇ શકતો. આયોડિનની ઉણપથી બાળક 'ક્રેટિન' કે 'મંદબુદ્ધિ' રહી શકે છે અને તે યોગ્ય રીતે હરીફરી શકતું પણ નથી. આ સમસ્યા ટાળવા માટે તમે યોગ્ય આયોડિનયુક્ત મીઠું વાપરી શકો છો.