ગાયક અને અભિનેતા આદિત્ય નારાયણ ફિલ્મમાં ફરીથી અભિનય કરશે

સોમવાર, 6 ફેબ્રુઆરી 2017 (17:04 IST)
ગાયક અને અભિનેતા આદિત્ય નારાયણ એક સંગીતમય ફિલ્મ થકી ફરીથી અભિનય કરવાનો છે. આ ફિલ્મમાં તે માત્ર અભિનય નહિ કરે ગીત પણ ગાશે. આદિત્યએ પ્રારંભે ફિલ્મ રંગીલા અને પરદેસમાં બાળ કલાકાર તરીકે કામ કર્યુ હતું. 2010=માં શાપીત ફિલ્મથી તે હીરો તરીકે બોલીવૂડમાં આવ્યો હતો. પણ ફિલ્મને સફળતા મળી નહોતી. હવે તે ફરીથી નવા લૂક સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરવા તૈયાર છે. તેણે કહ્યું હતું કે હું ફરીથી અભિનય માટે તૈયાર છું આ માટેની ઘોષણા જલ્દીથી થશે. આ એક મ્યુઝિકલ ફિલ્મ હશે. જેમાં હું મુખ્ય ભૂમિકા નિભાવીશ. હું આ ફિલ્મને કારણે ખુબ ઉત્સાહિત છું. હાલમાં આદિત્ય સારેગામાપામાં હોસ્ટ તરીકે કામ કરી રહ્યો છે.

વેબદુનિયા પર વાંચો