આરટીઆઈ કાર્યકર્તા એસસી અગ્રવાલે ગઈ 14મ માર્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સમક્ષ ફરિયાદ નોંધાવી હતી અને ખાન પાસેથી પદ્મશ્રી પરત લઈ લેવાની માંગ કરી હતી. તેમનુ કહેવુ છે કે મુંબઈની કે કોર્ટે એક રેસ્ટોરંટમાં ઝગડા બાબતે સેફ વિરુદ્ધ આરોપ સાબિત કરી લીધા છે. આવામાં તેમની પાસેથી આ પુરસ્કાર છીનવાય જાય એવી શક્યતા છે. સેફ અલી ખાનને 2010માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.