શાહિદના યશરાજ ગુણગાન

IFM
યશરાજ બેનરને તમે ત્યારે જ સમજી શકો જ્યારે તમે તે બેનર હેઠળ કામ કરો. ત્યારે જ તમે જાણી શકો કે કેમ લોકો આ બેનર સાથે જોડાવવા માંગે છે. તેમની કામ કરવાને રીત ખૂબ જ પ્રોફેશનલ છે. તમને અહીં જે માન સન્માન મળે છે, તમારી સાથે એટલો સારો વ્યવ્હાર કરવામાં આવે છે એ એક આનંદદાયી અનુભવ છે' તમે હવે સમજી ગયા હશો કે આ કોઈ મહાનુભવનુ કથન છે. યશરાજ બેનરના વખાણમાં કોના મોઢેથી આ ફૂલો વરસ્યા છે એ તમને જણાવી દઈએ કે આ વાક્ય શાહિદ કપૂરનુ છે.

શાહિદ લોકપ્રિય અભિનેતા છે. 'જબ વી મેટ'ની સફળતા પછી તો તેમની લોકપ્રિયતા વધી ગઈ છે. શહિદ હાલ યશરાજ બેનરની એક ફિલ્મ કરી રહ્યો છે અને ફિલ્મ શુ તેઓ તો પૂરી રીતે યશરાજમય થઈ ગયા છે. તેમના મોઢેથી સતત યશરાજના ગુણગાન ફૂટતા રહે છે. નમૂના રૂપે તમે ઉપરોક્ત વાક્ય જોઈ ચૂક્યા છો કે શ્રીમાન શાહિદના શ્રીમુખેથી યશરાજ બેનરની પ્રશંસામાં શુ શુ નીકળી રહ્યુ છે.

વેબદુનિયા પર વાંચો