શાહરૂખ બનશે નિર્દેશક ?

શુક્રવાર, 17 જુલાઈ 2009 (12:00 IST)
N.D
આ બંનેની મિત્રતા બોલીવુડ ઉપરાંત સમગ્ર દુનિયામાં જાણીતી છે. બંને મિત્રો મળીને ફરી કે ફિલ્મ બનાવી રહ્યા છે જેનુ શૂટિંગ થોડા દિવસોથી સતત ચાલી રહ્યુ છે. પોતાની આ નવી ફિલ્મને લઈને કરણ ખૂબ જ ઉત્સાહિત છે. જો કે બંને દ્વારા રજૂ થયેલ ફિલ્મ 'કભી અલવિદા ન કહેના' કંઈક વિશેષ ન કરી શકી. ફિલ્મમાં શાહરૂખની સાથે જ તેમની અભિન્ન જોડીદાર કાજોલને પણ લેવામાં આવી છે. આપ સૌ જાણતા જ હશો કે આ જોડી અગાઉ પણ ઘણી હિટ ફિલ્મો આપી ચૂકી છે. કરણ તો આ જોડી પર ફિદા છે. તેઓ કહે છે કે હુ તેમનો આભારી છુ કે તેઓ બંને મારી ફિલ્મ કરી રહ્યા છે. હુ નથી જાણતો કે આ જોડીમાં એવુ તો શુ છે ? પણ મને તો બસ જાદુ લાગે છે. તેઓ બંને સ્ક્રીનને એક તાજગીથી ભરી દે છે. શાહરૂખ અને કાજોલનો એક સીન શૂટ કરતી વખતે લાગતુ હતુ કે હુ મારુ સર્વોત્તમ કાર્ય કરી રહ્યો છુ. એટલુ જ નહી કરણ તો શાહરૂખ એક સારા નિર્દેશક બનવાની ભવિષ્યવાણી પણ કરે છે. કરણ કહે છે કે શાહરૂખ કાગળ પર લખી રહ્યો હતો કે તેમનુ પાત્ર કેવુ રજૂ કરવાનુ છે અને આ તેમની માટે કોઈ મોટી વાત નથી. તેઓ ક્યારેય પણ ફિલ્મ નિર્દેશિત કરી શકે છે અને ખૂબ જ સારા નિર્દેશક સાબિત થશે.

વેબદુનિયા પર વાંચો