સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આમીર એક માહ સુધી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત રહેશે. સલમાન ખાનની બહેન અર્પિતાના લગ્નમાં હાજર રહ્યા બાદ હવે આમિર પોતાની આગામી ફિલ્મ પીકેના પ્રદર્શન પર પૂરતું ધ્યાન આપવા માંગે છે. આમિર આ માટે ફિલ્મના નિર્દેશક રાજકુમાર હીરાની ફિલ્મના માર્કેટિંગ સ્ટ્રેટેજીને લઈને ચર્ચા કરી રહ્યો છે.
પીકેના પ્રમોશનમાં કોઈ ખામી ન રહી જાય તે માતે આમિર હાલમાં કોઈ પણ ફિલ્મ સાઈન નથી કરી રહ્યો . આમિરે ફિલ્મનો પ્રેમોશન માટે પહેલાંથી જ એક એક કરીને કુલ પાંચ પોસ્ટ્ર રિલીઝ કર્યો છે. આમિર કેટ્લાંક સમય પેહેલાં જ પોતાના પરિવાર સાથે જાપાનના પ્રવાસેથી પરત ફર્યો છે . જે બાદ તેણે પત્ની કિરણ રાવનો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો હતો.